RBIની બેઠક પહેલા મોન્ટરી પોલિસી કમિટીમાં ફેરફાર

સરકારે મંગળવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC)માં રામ સિંહ, સૌગત ભટ્ટાચાર્ય અને નાગેશ કુમાર સહિત ત્રણ નવા બાહ્ય સભ્યોની નિમણૂક કરી છે. MPCમાં 6 સભ્યો છે, જેમાંથી ત્રણ કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકાંત દાસ, ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રા અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજીવ રંજ છે.

જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચાર વર્ષ માટે ત્રણ બાહ્ય સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. હાલમાં, MPCના બાહ્ય સભ્યોમાં પ્રોફેસર આશિમા ગોયલ, પ્રોફેસર જયંત વર્મા અને નવી દિલ્હીના વરિષ્ઠ સલાહકાર શશાંક ભીડે છે. તેમનો કાર્યકાળ આ અઠવાડિયે પૂરો થઈ રહ્યો છે.

રામ સિંહ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ડિરેક્ટર છે, જ્યારે ડૉ. નાગેશ કુમાર ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડીઝ ઈન ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ છે. સૌગત ભટ્ટાચાર્ય અર્થશાસ્ત્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *