શેરબજારમાં ઉતાર-ચઢાવની શક્યતા

આ સપ્તાહે શેરબજારમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કંપનીઓના બીજા ક્વાર્ટરના પરિણામો, યુએસ ફુગાવાના ડેટા, ફેડ ચેર જેરોમ પોવેલનું ભાષણ, ભારતનો રિટેલ-હોલસેલ ફુગાવો, સ્થાનિક આર્થિક ડેટા, વૈશ્વિક આર્થિક ડેટા, FII-DII પ્રવાહ અને આગામી IPO પર બજારની નજર રહેશે. ગુરુ નાનક જયંતિ નિમિત્તે 15 નવેમ્બરે બજાર બંધ રહેશે.

આ અઠવાડિયે 2500 થી વધુ કંપનીઓ તેમના સપ્ટેમ્બર ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)ના પરિણામો જાહેર કરશે. ONGC, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો, શ્રી સિમેન્ટ, આઇશર મોટર્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને હીરો મોટોકોર્પ જેવી મોટી નિફ્ટી-50 કંપનીઓના પરિણામો પણ આવશે.

આ ઉપરાંત હ્યુન્ડાઈ મોટર, નાયકા, ફર્સ્ટક્રાય, મામાઅર્થ, વોડાફોન આઈડિયા, બેંક ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન કોપર, એપોલો ટાયર્સ, હેપીએસ્ટ માઈન્ડ્સ ટેક્નોલોજીસ, કલ્યાણ જ્વેલર્સ, એનબીસીસી, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને મુથૂટ ફાઈનાન્સ પણ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *