મોરબીમાં લીલાપર કેનાલ રોડે આગ લાગતાં કારના દરવાજા લોક!

મોરબીમાં સિરામિક બિઝનેસમેન અજય ગોપાણીની Kia કાર અચાનક ભડભડ સળગતા તેઓ કારમાં જ ભડથું થઈ ગયા હતા. લીલાપર કેનાલ રોડ પરથી તેઓ પસાર થતા હતા તે દરમિયાન કોઈ ટેકનિકલ કારણોસર ગાડીમાં આગ લાગી હતી. જોતજોતામાં જ આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા જ કારના દરવાજા લોક થઈ જતા તેમણે બહાર ના નીકળી શક્યા. પરિણામે તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

મોરબીમાં રવાપર પાસે રહેતા અને મોરબી નજીક એક્સપર્ટ સિરામિક નામનું કારખાનું ધરાવતા અજય નાનજીભાઈ ગોપાણી (ઉ.39) નામનો યુવાન કિયા કંપનીની ગાડી નંબર જીજે 36 એસી 4971 લઈને લીલાપર કેનાલ રોડ પરથી બપોરના 1:00 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર તેમની ગાડીમાં આગ લાગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *