કેપ્ટન રોહિત મેલબોર્નમાં હારથી મેન્ટલી ડિસ્ટર્બ થયો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, મેલબોર્ન ટેસ્ટમાં મળેલી હારથી તે માનસિક રીતે પરેશાન થઈ ગયો છે. સિડની ટેસ્ટ પહેલા તેણે પોતાની અને ટીમમાં ઘણા ફેરફારો કરવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયા પાસે મોમેન્ટમ છે, પરંતુ ટીમ સિડનીમાં જીત મેળવીને પુનરાગમન કરવા માંગશે.

રોહિતે કહ્યું, ‘માનસિક રીતે આ હાર ખૂબ જ પરેશાન કરનારી છે, મેં મેચમાં ઘણી વસ્તુઓ અજમાવી, પરંતુ અમે ઇચ્છતા હતા તેવું પરિણામ મળ્યું નહીં. જ્યારે પરિણામો આપણી વિરુદ્ધ હોય ત્યારે તે નિરાશાજનક હોય છે. પાછળથી જે બન્યું તેના વિશે આપણે બહુ વિચારવું ન જોઈએ. કેટલાક પરિણામો અમારા પક્ષમાં ન હતા, જેના કારણે હું કેપ્ટન તરીકે ખૂબ નિરાશ છું.

રોહિતે વધુમાં કહ્યું, ‘એક ટીમ તરીકે અમારે ઘણા ફેરફારો કરવા પડશે. મારે મારા વિશે ઘણી વસ્તુઓ બદલવી પડશે. અમે ખામીઓ પર કામ કરીશું અને જોઈશું કે શું કરી શકાય. હજુ એક રમત બાકી છે, જો અમે સારું રમીશું તો શ્રેણી 2-2થી બરાબર થઈ શકે છે. તે શ્રેણી ડ્રો કરવા માટે પણ સારું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *