કેબિનેટે PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી, 860 સંસ્થાના 22 લાખ વિદ્યાર્થીને ફાયદો

નવી દિલ્હીમાં બુધવારે મળેલી મોદી કેબિનેટની બેઠકમાં PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આમાં ભારત સરકાર ઉચ્ચ શિક્ષણ માટે 7.5 લાખ રૂપિયા સુધીની લોન પર 75% ક્રેડિટ ગેરંટી આપશે.

8 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા પરિવારનાં બાળકોને પણ 10 લાખ રૂપિયા સુધીની લોન પર 3% વ્યાજ સબસિડી આપવામાં આવશે. 4.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને પહેલેથી જ સંપૂર્ણ વ્યાજ સબસિડી મળી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે આ યોજનાનો ઉદ્દેશ હોશિયાર વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવાનો છે, જેથી પૈસા તેમના અભ્યાસમાં અડચણ ન બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *