બ્રિટિશ PM પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

બ્રિટિશ પીએમ કીર સ્ટારર પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. બ્રિટનમાં રહેતા હિંદુઓએ આરોપ લગાવ્યો છે કે સ્ટારમરના ઘરે આયોજિત દિવાળીની ઉજવણીમાં નોન વેજ અને દારૂ પીરસવામાં આવ્યો હતો.

બ્રિટિશ હિન્દુ સંગઠન ‘ઈનસાઈટ યુકે’એ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. ઈનસાઈટ યુકેએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરતા પહેલા યોગ્ય સલાહ લેવી જોઈતી હતી. પીએમ સ્ટારમરે 29 ઓક્ટોબરે તેમના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું હતું.

ઇનસાઇટ યુકેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે દિવાળી એ માત્ર તહેવારનો સમય નથી, પરંતુ તેનું ઊંડું ધાર્મિક મહત્વ છે. દિવાળી એ પવિત્રતાનો તહેવાર છે, તેથી માંસાહારી ખોરાક અને આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *