મોટા-શક્તિશાળી દેશો આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરે : કેનેડાના PM

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર પોતાના દેશમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો છે. ટ્રુડોએ કહ્યું- મોટા અને શક્તિશાળી દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. જો આમ થશે તો આ દુનિયા બહુ ખતરનાક બની જશે.

નિજ્જરની 18 જૂન 2023ના રોજ હત્યા કરવામાં આવી હતી. 18 સપ્ટેમ્બરે જસ્ટિન ટ્રુડોએ ભારત પર આતંકવાદી નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. ભારત આ આરોપોને વાહિયાત ગણાવે છે.

રોઇટર્સના જણાવ્યા મુજબ, કેનેડાએ આરોપ મૂકતા પહેલા ગુપ્તચર પુરાવા એકત્ર કરવા માટે યુએસ સાથે નજીકથી કામ કર્યું હતું. કેનેડાના સરકારી સૂત્રએ રોઇટર્સને જણાવ્યું હતું કે કેનેડાએ નિજ્જરના મૃત્યુમાં ભારતીય એજન્ટોની ભૂમિકા અંગે યુએસના સહયોગથી તપાસ હાથ ધરી હતી.

વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, કેનેડાએ ફાઈવ આઈ ઈન્ટેલિજન્સ દેશો (અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ન્યુઝીલેન્ડ)ને આ મામલે સંયુક્ત નિવેદન આપવાની અપીલ કરી હતી, પરંતુ તમામે ભારત સાથેના સંબંધોને ધ્યાનમાં રાખીને કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *