આ એવી કરુણ ક્ષણ હતી, જેણે સૌનાં હૃદયને વીંધી નાખ્યાં. પાંચ દિવસના ઇંતજાર બાદ વિજયભાઈનો પાર્થિવદેહ તિરંગામાં લપેટાયેલી કોફિનમાં તેમના પરિવારને સોંપવામાં આવ્યો.
આ વસમી વિદાય જોઈને સૌકોઈની આંખો ભીની હતી અને જેમણે પોતાનાં પ્રિયજનોના દેહના ટુકડા પાછા ફરતા જોયા હોય, તેમની વેદના તો કલ્પી પણ ન શકાય. ખરેખર, આવી હૃદય ચીરનાર વિદાય કોઈને ન મળે!