ભારતથી ઇઝરાયલ જઈ રહ્યું હતું હથિયારોથી સજ્જ જહાજ

સ્પેને ભારતથી વિસ્ફોટકો લઈને ઈઝરાયલ જઈ રહેલા જહાજને તેના બંદર પર રોકવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. ડેનિશ ફ્લેગવાળું આ જહાજ ચેન્નાઈથી ઈઝરાયલના હાઈફા પોર્ટ જઈ રહ્યું હતું.

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર સ્પેનના વિદેશ મંત્રી જોશ મેન્યુઅલ અલ્બારેઝે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ પ્રધાન અલ્બારેઝે ગુરુવારે બ્રસેલ્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમને એવી માહિતી મળી હતી કે શસ્ત્રોનો માલ વહન કરતું જહાજ સ્પેનિશ બંદરમાં ડોક કરવા માગે છે. જેમને રહેવા દેવામાં આવ્યા ન હતા.

અલ્બારેઝે કહ્યું, ‘મધ્ય પૂર્વને વધુ હથિયારોની જરૂર નથી. ત્યાં શાંતિની જરૂર છે. તેમણે જહાજ વિશે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.

સ્પેનિશ અખબાર ‘એલ પેસ’ના જણાવ્યા અનુસાર આ જહાજ પર લગભગ 27 ટન વિસ્ફોટક છે. તે ચેન્નાઈ પોર્ટથી ઈઝરાયલના હાઈફા પોર્ટ જઈ રહ્યું છે. જોકે, જ્યારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *