સાસરિયાઓ સાથે સમાધાન માટે ગયેલી પરિણીતાને માર માર્યો

શહેરના કોઠારિયા રોડ, દેવપરા શાકમાર્કેટ પાસે રહેતી રતન અજય ચારોલિયા નામની પરિણીતાને ડેરોઇ ગામે રહેતા પતિ અજય, સસરા દિનેશભાઇ તળશીભાઇ ચારોલિયા, સાસુ માવુબેન અને મામાજી કાળુભાઇ તળશીભાઇ સાડમીયાએ પાઇપથી હુમલો કરી માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.

ઇજાગ્રસ્ત પરિણીતાની પૂછપરછમાં તેને બે સંતાન છે. ડેરોઇ ગામે રહેતા પતિ અજય કંઇ કામધંધો કરતા ન હોય બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હોય પોતે સાત મહિના પૂર્વે રાજકોટ સંતાનોને લઇ માવતરે આવી ગઇ હતી. દરમિયાન રવિવારે સાસરિયાઓ સાથે સમાધાન માટે ડેરોઇ ગામે બંનેના પરિવારજનો ભેગા થયા હતા. આ સમયે બોલાચાલી થતા સાસુ-સસરા, પતિ અને મામાજીએ ઉશ્કેરાય જઇને પાઇપનો ઘા માથામાં ફટકારી માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *