જસદણની ભાદર નદીમાં ગાંડીવેલની ચાદર

જસદણની મધ્યમાંથી પસાર થતી જૂની ભાદર નદી પર ગાંડીવેલની પથરાયેલી ચાદર નજરને સારી લાગે, હરિયાળી હરિયાળી લાગે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વેલ થકી આ પાણી કોઈ ખપનું રહેતું નથી. પશુઓ માટે આ પાણી પીવાલાયક પણ રહેતું ન હોય તો આ પાણી શું કામનું? તેવા સવાલો જાગૃત લોકોમાં ઉપસ્થિત થાય છે.

એક બાજુ વર્ષોથી જસદણની ભાદર નદીમાં આખા શહેરનો કચરો ઠાલવી પાણીને વધુને વધુ ગંદુ કરીને નગરજનો જ રોગચાળો ફેલાવી રહ્યા છે. છતાં જસદણ નગરપાલિકાના જવાબદારો દર વર્ષે હરખભેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરે છે અને પર્યાવરણની સુરક્ષા માટે કરાતી જાહેરાતો માત્ર ફોટોસેશન માટે જ કરાતી હોય તેવું આ ચિત્ર પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. અત્યારે તો આ ગાંડીવેલ જાણે કે ગાંડીતૂર બની હોય તેમ ભાદર નદી પર પથરાઇ ચૂકી છે. આવી અનેક તસવીરો અગાઉ પણ છપાઇ ચૂકી હશે, પરંતુ હજુ પણ તંત્રને નદીની સ્વચ્છતાની ગંભીરતા સમજાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *