શનિવારે મહા માસની પૂનમ

શનિવાર, 24 ફેબ્રુઆરી એ મહા માસની પૂર્ણિમા છે. જેને મહા પૂર્ણિમા કહેવામાં આવે છે. આ તિથિનો સ્વામી ચંદ્ર દેવ છે. મહા પૂર્ણિમાના દિવસે સૂર્ય પૂજાથી દિવસની શરૂઆત કરો અને સાંજે ચંદ્રોદય સમયે ચંદ્ર ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો

ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, મહા પૂર્ણિમાને લગતી ઘણી પરંપરાઓ છે, જેને અનુસરવાથી વ્યક્તિને ધાર્મિક લાભ મળે છે અને મન પણ શાંત થાય છે.

પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. જો તમે નદીમાં સ્નાન કરી શકતા નથી, તો તમે ગંગા જળને પાણીમાં ભેળવીને ઘરે સ્નાન કરી શકો છો.

સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. આ માટે તાંબાના વાસણમાં પાણી, કુમકુમ, ચોખા રાખી સૂર્યને જળ અર્પિત કરો. આ દરમિયાન સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃનો જાપ કરવો જોઈએ.

આ દિવસે કપડાં, ભોજન, ઘી, રૂ અને ચપ્પલનું દાન કરવું જોઈએ.

પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહા માસની પૂર્ણિમાના દિવસે કથા સાંભળવાનું વધુ મહત્ત્વ છે. ભગવાન સત્યનારાયણની પૂજા કરો, ધૂપ, દીપ અને પ્રસાદ ચઢાવો. સુગંધિત પુષ્પોની માળા અર્પણ કરો અને ભગવાનની કથા સાંભળો.
મહા પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઈએ. જો રાત્રે પૂજા કરવામાં આવે તો તે વધુ શુભ રહેશે. ભગવાન વિષ્ણુ-લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખ વડે અભિષેક કરો. ભગવાનને નવા વસ્ત્રો પહેરાવો. ચંદનથી તિલક કરો. હાર અને ફૂલોથી સજાવો. અગરબત્તી પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.

પૂર્ણિમાની સાંજે ચંદ્રોદય પછી ઘરની બહાર દીવો પ્રગટાવવો જોઈએ. તુલસી પાસે પણ દીવો પ્રગટાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *