આવી જ રીતે હું પડકારોનો સામનો કરતા શીખ્યો : જયસ્વાલ

ટીમ ઈન્ડિયાએ રવિવારે રાજકોટ ટેસ્ટમાં 434 રને જીત મેળવી હતી. 557 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમ ચોથી ઇનિંગમાં માત્ર 122 રન જ બનાવી શકી હતી. યશસ્વી જયસ્વાલની બેવડી સદીના કારણે ભારતીય ટીમ ઈંગ્લેન્ડને 557 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી. જયસ્વાલે 214 રનની ઈનિંગમાં 12 સિક્સર ફટકારી હતી.

મેચ બાદ યશસ્વીએ કહ્યું- હું ટેસ્ટ ક્રિકેટમાં મારું સર્વશ્રેષ્ઠ આપવા માગુ છું. નાનપણથી જ મહેનત કરતા શીખ્યો છું. ભારતમાં બસ, ટ્રેન કે ઓટોમાં ચઢવા માટે પણ સખત મહેનત કરવી પડે છે. મારા બાળપણથી જ આ સ્થિતિ છે, જેના કારણે મને પડકારો સામે લડવાની આદત પડી ગઈ છે.

યશસ્વીએ કહ્યું- હું મારી જાતને કહું છું કે હું સેટ થઈ જઉં ત્યારે સારો સ્કોર કરું, કારણ કે તમે ગમે ત્યારે આઉટ થઈ શકો છો. સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. રોહિત અને જાડેજાથી પ્રેરિત થઈને રમું છું.. ડગઆઉટમાં મેં ટેસ્ટ ક્રિકેટમાં મારું 100% આપવાનું નક્કી કર્યું.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું- જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટ રમો છો, તો તમે તેને બે-ત્રણ દિવસ નથી રમતા. તમારે પાંચ દિવસ ગેમમાં રહેવું પડે છે. અમે ત્રીજા દિવસે અમારી પ્લાનિંગ પર અડગ રહ્યા. અમને લાગ્યું કે જાડેજાને આ ફોર્મેટમાં ઘણો અનુભવ છે, અને તેણે ઘણા રન બનાવ્યા છે. અમે લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન પણ ઈચ્છતા હતા.

અમે જાણીએ છીએ કે બોર્ડ પર રન ભારતમાં મહત્વપૂર્ણ છે. લીડ પણ અમારા માટે મહત્વની હતી, પરંતુ બોલર્સે ઘણો જુસ્સો બતાવ્યો અને ઈંગ્લેન્ડના બેટિંગ ઓર્ડરને ટક્કર આપી. અમારી પાસે અમારો સૌથી અનુભવી બોલર (અશ્વિન) પણ નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *