ત્રિપુરાની કોલેજમાં દેવી સરસ્વતીની પ્રતિમા મુદ્દે વિવાદ

ત્રિપુરાના અગરતલામાં બુધવારે (14 ફેબ્રુઆરી) વસંત પંચમીના દિવસે સાડી વિનાની દેવી સરસ્વતીની પ્રતિમાને લઈને ભારે વિવાદ થયો હતો. મામલો ત્રિપુરા સરકારી કોલેજ ઓફ આર્ટ એન્ડ ક્રાફ્ટનો છે.

હકીકતમાં, વિદ્યાર્થીઓએ દેવી સરસ્વતીની મૂર્તિ બનાવી હતી, જેમાં તેમણે સાડી પહેરાવી ન હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ પ્રતિમાને અશ્લીલ ગણાવી વિરોધ કર્યો હતો.

ABVPએ દાવો કર્યો હતો કે દેવીની આવી પ્રતિમા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક લાગણીઓ વિરુદ્ધ છે. આ પછી બજરંગ દળના નેતાઓ પણ વિરોધમાં જોડાયા હતા. વિવાદ વધતા કોલેજ ઓથોરિટીએ મૂર્તિને સાડી પહેરાવી.

ત્રિપુરાના ABVP યુનિટના જોઈન્ટ સેક્રેટરી દિબાકર અચાર્જીએ કહ્યું કે અમને વહેલી સવારે સમાચાર મળ્યા કે ગવર્નમેન્ટ કોલેજ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં દેવી સરસ્વતીની મૂર્તિ અશ્લીલ રીતે બનાવવામાં આવી છે.

દિબાકરે કહ્યું- અમે કોલેજ પહોંચીને તેનો વિરોધ કર્યો. આ પછી વિદ્યાર્થીઓએ મૂર્તિ પર સાડી ઓઢાડી હતી. ABVPના સભ્યોએ મુખ્યમંત્રી માણિક સાહા પાસે કોલેજ સત્તાવાળા સામે કડક કાર્યવાહી કરવા અને પ્રિન્સિપાલને બરતરફ કરવાની માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *