60 કલાકના યજ્ઞ-હવન પછી મંદિરમાં બિરાજશે શ્રીરામ

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. એ 121 વૈદિક બ્રાહ્મણ સાથે ભારતનું સૌથી મોટું ધાર્મિક અનુષ્ઠાન હશે. કાશીના પંડિત લક્ષ્મીકાંત મથુરાદાસ દીક્ષિતના નેતૃત્વમાં 50 બ્રાહ્મણની ટીમ 16થી 22 જાન્યુઆરી સુધી અયોધ્યામાં રહેશે. પ્રાણ-પ્રતિષ્ઠા પહેલાં કુલ 60 કલાક સુધી યજ્ઞ, હવન, 4 વેદોનું પઠન અને અનુષ્ઠાન થશે.

કાશીના વૈદિક બ્રાહ્મણો અને ઈતિહાસકારોનું કહેવું છે કે આવી ભવ્ય ધાર્મિક વિધિ દેશમાં 1500 વર્ષ પછી જોવા મળશે. કન્નૌજના મહાન હિંદુ શાસક હર્ષવર્ધનના શાસન દરમિયાન પ્રયાગમાં દાન-પુણ્ય પછી ભવ્ય યજ્ઞ-અનુષ્ઠાન વિશે વિશે સાંભળવામાં અને વાંચવામાં આવ્યું હતું. આનો પુરાવો હર્ષવર્ધનના બાંસખેડા શિલાલેખમાં છે. એ પછી આવા કોઈ પુરાવા મળ્યા નથી.

કાશી હિંદુ યુનિવર્સિટી (BHU)ના ઇતિહાસ અને પુરાતત્ત્વના પ્રોફેસર અશોક કુમાર સિંહના જણાવ્યા અનુસાર, 11મી સદીથી દેશમાં ઈસ્લામનો પ્રભાવ રહ્યો છે, ત્યારથી ભારતમાં કોઈ મોટી ધાર્મિક વિધિ થઈ નથી. એ જ સમયે હર્ષવર્ધન પછી 7મી સદીથી 11મી સદી સુધી માત્ર નાની-મોટી વિધિઓ જ થઈ.

હર્ષવર્ધન પછી ચંદેલા અને ગહડવાલ વંશના રાજાઓએ ઘણાં મંદિરોની સ્થાપના કરી, પરંતુ આજે રામ મંદિરના અભિષેકમાં આટલી મોટી ધાર્મિક વિધિનો કોઈ પુરાવો જોવા મળ્યો નથી. યજ્ઞ વેદોના સૌથી જૂના પુરાતત્ત્વીય પુરાવાઓ 5 હજાર વર્ષ પહેલાં સિંધુ ખીણ હેઠળના કાલીબંગા (રાજસ્થાન) અને લોથલ (ગુજરાત)માંથી મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *