પોપટપરા નાળામાં પાણી ભરાવાની સમસ્યાનું સંભવત: છેલ્લું વર્ષ

રાજકોટ શહેરમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. મહાનગરપાલિકાના પોતાના રેકોર્ડ મુજબ શહેરમાં એવા 87 પોઇન્ટ છે, જે ભારે વરસાદમાં જળબંબોળ થઈ જાય છે. આ તમામ સંવેદનશીલ વિસ્તારો પૈકી વોર્ડ નંબર 3 માં આવેલું પોપટપરા નાળું દાયકાઓથી સૌથી ગંભીર પ્રશ્ન રહ્યું છે.

હવે મનપાએ આ નાળામાં ભરાતા વરસાદી પાણીને પાઇપલાઇન મારફતે ડાયવર્ટ કરવાની મહત્વની યોજના તૈયાર કરી છે, જેથી લોકોને આ વાર્ષિક હાલાકીમાંથી કાયમી મુક્તિ મળી શકે. જોકે, આ વહીવટી અને ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ થતાં અંદાજે એક વર્ષનો સમય લાગશે. આથી, પોપટપરા નાળા માટે પાણી ભરાવાનું આ સંભવતઃ છેલ્લું વર્ષ સાબિત થઈ શકે છે.

ચોમાસામાં એકાદ ઇંચ વરસાદથી પોપટપરા નાળું ઓવરફ્લો જૂના રાજકોટના સમયનું આ નાળું શહેરનું સૌથી જૂનું છે. વાસ્તવિક રીતે રેલવે સ્ટેશન રોડથી પોપટપરા જતા કુદરતી વહેણ (વોટર-વે) ઉપરથી ટ્રેનના પાટા પસાર થાય છે. આ નાળું મૂળ વરસાદી પાણીના નિકાલ માટે જ બનાવાયું હતું. સમય જતાં આજુબાજુના વિસ્તારોને જોડવા માટે અહીંથી વાહન વ્યવહાર શરૂ કરાયો. આજે આ નાળું એક મુખ્ય રસ્તો બની ગયું છે, જે પોપટપરાને રેલનગર, સાધુ વાસવાણી કુંજ રોડ અને છેક માધાપર ચોકડી સાથે કનેક્ટ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *