પ્રવાસી મજૂરોને સરળતાથી મળશે 5 કિલોનો ગેસ સિલિન્ડર

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 5KG વાળા ફ્રી ટ્રેડ એલપીજી (FTL) સિલિન્ડરોની દૈનિક મર્યાદાનો ક્વોટા બમણો કરી દીધો છે. વધેલો ક્વોટા ખાસ કરીને પ્રવાસી મજૂરો માટે અનામત રહેશે.

સરકારે 2-3 માર્ચના સરેરાશ વેચાણના આધારે 5KG વાળા LPG સિલિન્ડરનો વધારાનો પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે, જે અગાઉથી નિર્ધારિત 20% ની મર્યાદાથી અલગ હશે.

અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે LPG નો પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે. તેથી પ્રવાસી મજૂરો અને ઓછી આવક ધરાવતા વર્ગને રાહત આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે એક દિવસ પહેલા જ 5Kg વાળા LPG સિલિન્ડરના વેચાણના નિયમોને સરળ બનાવ્યા છે. હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એડ્રેસ પ્રૂફ વગર નાનો ગેસ સિલિન્ડર ખરીદી શકશે. આ સિલિન્ડર ખરીદવા માટે કોઈ સિક્યોરિટી રકમ જમા કરાવવાની જરૂર પણ નહીં પડે.

પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર, આ પગલું પ્રવાસી મજૂરો અને એવા લોકો માટે લેવામાં આવ્યું છે, જેમની પાસે શહેરમાં કોઈ કાયમી સરનામું નથી. હવે ગ્રાહકોને ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને ફક્ત પોતાની કોઈ પણ એક ફોટો-ID બતાવવી પડશે અને તેઓ તરત જ સિલિન્ડર લઈ શકશે.

મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 5 કિલો વાળા સિલિન્ડર માટે હવે ઘણા બધા ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. ગ્રાહકો આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી જેવા ડોક્યુમેન્ટ બતાવીને સિલિન્ડર લઈ શકે છે. તમે વર્ષમાં જેટલી વાર ઈચ્છો, તેટલી વાર તેને રિફિલ કરાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *