આપણે આને અવગણી શકીએ નહીં; NCRB રિપોર્ટ- 2022માં 13 હજાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી

શુક્રવારે સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી જતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી અને તેને સિસ્ટમની નિષ્ફળતા ગણાવી. કોર્ટે કહ્યું કે આ ઘટનાઓને અવગણી શકાય નહીં.

ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના રિપોર્ટમાં વધતા આંકડા ચિંતાજનક છે.

રિપોર્ટ મુજબ, વર્ષ 2022 માં, દેશભરમાં કુલ 1 લાખ 70 હજાર 924 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી 13,044 વિદ્યાર્થીઓ હતા. વર્ષ 2001 માં, વિદ્યાર્થીઓના મૃત્યુની સંખ્યા 5,425 હતી.

NCRB ના અહેવાલ મુજબ, 100માંથી લગભગ 8 આત્મહત્યા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. આમાંથી 2,248 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નાપાસ થવાને કારણે આત્મહત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *