કેરાળી,લુણાગરા સહિતના ગામના ખેડૂતો પાણીમાં ભેળવાતા પ્રદૂષણ મુદ્દે આક્રમક

જેતપુરમાં સાડી ઉદ્યોગના કેટલાક વગદાર કારખાનેદારો તેમના એકમનું કેમીકલ યુક્ત પ્રદુષિત પાણી સીઇટીપી પ્લાન્ટમાં ઠાલવવાને બદલે સીધુ ભાદર નદીમાં છોડી દે છે.અને પાણી ખેડૂતોના બોર, કુવાના તળમાં પહોંચી ગયું હોય ખેતીની જમીન બંજર બની ગઈ છે. અને મૂંગા પશુઓ પણ ચામડીના ખરીના રોગના શિકાર બનતા કેરાળી, લુણાગરા, લુણાગરી સને ઉમરકોટ ગામના ખેડૂતો કેરાળી પાસેના ભાદર નદીના પુલ પર એકઠા થઇ પ્રદુષણ વિરુદ્ધ સુત્રોચાર કર્યો હતો. અને નદીમાં આ પાણી બંધ નહિ થાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચારી હતી.

ઔદ્યોગિક શહેર જેતપુરનો સાડી ઉદ્યોગ પ્રદુષણને કારણે ખૂબ બદનામ છે. જેને કારણે આ ઉદ્યોગના સંગઠને તમામ કારખાનાઓનું પાણી ગટર દ્વારા કલેક્શન સંપ સુધી પહોંચતું તે બંધ કરાવી અને ગટરોનું પુરાણ કરાવી દીધું. અને માન્ય કારખાનાઓનું પ્રદુષિત પાણી ટેન્કર દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલ કલેક્શન સંપમાં ઠલાવવાની કામગીરી છેલા ત્રણેક વર્ષથી કરવામાં આવી રહી છે. તેમ છતાં ભાદર નદીમાં પ્રદુષણ ઓછું થવાનું નામ જ નથી લેતું અને ખેડૂતો ખેતી માટે ભાદર નદીનું પાણી પેલા પણ ઉપયોગ નહતા કરી શકતા અને હજુ પણ એવું જ પ્રદુષિત પાણી રહેતા ખેડૂતોની સ્થિતિ તો પેલા હતી તેવી રહી.

કેરાળી, લુણાગરા, લુણાગરી અને ઉમરકોટ ગામના સોથી દોઢસો જેટલા ખેડૂતો કેરાળી ગામના ભાદર નદીના પુલ પાસે એકઠા થયા હતા અને ત્યાં રામધૂન બોલાવી પ્રદૂષિત પાણીનો વિરોધ કર્યો હતો. આ અંગે કેરાળી ગામના સરપંચ કલ્પેશભાઈ ભડેલીયાએ જણાવ્યું હતું કે, ભાદર નદીમાં પ્રદૂષણનો પ્રશ્ન વર્ષો જૂનો છે પરંતુ હજુ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી, માટે આજે અમો 4 ગામના સરપંચ અને ખેડૂતો એકઠા થયા છીએ અત્યારે ક્યાંય વરસાદ ન હોય છતાંય અમારા ગામ પાસેથી ભાદર નદી બે કાંઠે વહે છે પરંતુ પ્રદુષિત પાણીથી વહે છે તે જ મોટી સમસ્યા છે. આ સિલિકેટવાળું પ્રદુષિત પાણીને કારણે અમારા ખેતરો બંજર બની ગયા છે, જમીનો રાખ જેવી થઈ ગઈ છે. પશુઓ પણ પાણીને કારણે ચામડીના ખરીના રોગના ભોગ બન્યા છે. નદીમાં પાણી તો ભરપૂર છે પરંતુ અમે આ પાણીનો ઉપયોગ નથી કરી શકતા જો આવુ કેમીકલ યુક્ત પાણી નદીમાં છોડવાનું કારખાનેદારો બંધ નહિ કરે તો અમારે આંદોલન કરવું પડશે. કિસાન સંઘના પ્રમુખ જમનભાઈ પાઘડારે આક્ષેપ કર્યો હતો કે, જેતપુરના માથાભારે કારખાનેદારો રાજકીય ઓથ હેઠળ નદીમાં કેમીકલ યુકત પાણી છોડે છે. કારખાનેદારો સાડીનાં ધોલાઈ ઘાટ વાળા કારખાનેદારો પાણી ભાદર નદીમાં છોડે છે જે બંધ થવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *