ઠંડી વધતા શરદી-ઉધરસના કેસમાં વધારો

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં સતત વધારો થતાં રોગચાળો વકરી રહ્યો છે. જેમાં શરદી- ઉધરસનાં કેસમાં વધારો યથાવત્ છે. ત્યારે મનપાના ચોપડે મચ્છરજન્ય રોગ શૂન્ય પરંતુ જોખમી ટાઇફોઇડ તાવનાં વધુ 2 કેસ નોંધાયા છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતના રોગને નિયંત્રિત કરવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શરદી-ઉધરસના 943, સામાન્ય તાવના 727 અને ઝાડા ઊલટીના 163 કેસ નોંધાતા લોકોને પણ સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.

મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે છેલ્લા એક અઠવાડિયામાં 33,698 ઘરમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ફિલ્ડવર્કરો દ્વારા 753 ઘરમાં ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ સ્થાન શોધવા માટે બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત 569 સ્થળે તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાકમાં 267 અને કોમર્સિયલ 137 મળી કુલ 404 આસામીને નોટિસ ફટકારાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *