રાજકોટ RTOની લાઇસન્સ સસ્પેન્ડની કાર્યવાહી

રાજકોટ આરટીઓ કચેરીમાં એવું પ્રથમ વખત બની રહ્યું છે કે, ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચારથી વધુ વખત ઈ-ચલણના મેમો આપવામાં આવ્યા હોય તેવા 600 વાહનચાલકોને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેની નોટિસ ફટકારવાનું નક્કી કરાયું છે. જોકે, તેમાંથી અત્યાર સુધીમાં 100 જેટલા વાહન ચાલકોને નોટિસ આપી દેવામાં આવી છે, પરંતુ તેમાંથી 30 નોટિસ ખોટા એડ્રેસને કારણે પરત ફરી છે. જ્યારે 5 વાહનચાલકો ઈ-મેમો ભરી આવ્યા હોય તેની પહોંચ સાથે આરટીઓ કચેરી ખાતે હાજર થઈ ચૂક્યા છે.

જોકે હવે વર્ષ 2025ની શરૂઆતથી આ વાહનચાલકોને સિગ્નલ તોડવું, હેલ્મેટ ન પહેરવું, સીટ બેલ્ટ ન બાંધવો, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, ત્રીપલ સવારી સહિતના ટ્રાફિક નિયમના ભંગ બદલ જે તે વાહનચાલકનું લાયસન્સ ઓછામાં ઓછું ત્રણ મહિના અને વધુમાં વધુ એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવશે. જે દરમિયાન તે વાહનચાલક વાહન ચલાવી નહીં શકે. આરટીઓ કચેરી દ્વારા અગાઉ ફેટલ અકસ્માત જેવા કિસ્સાઓમાં લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવતું હતું, પરંતુ હવે ટ્રાફિક નિયમના ભંગ બદલ પણ લાયસન્સ સસ્પેન્ડ કરવાનું શરૂ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *