ભારતે કહ્યું- મસૂદ અઝહરના ભાષણથી પાકિસ્તાનનો દંભ ખુલો પડ્યો

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર 20 વર્ષ બાદ દુનિયાની સામે આવ્યો છે. પાકિસ્તાનમાં તેણે પોતાના સમર્થકો વચ્ચે ભારત અને પીએમ મોદી વિરુદ્ધ ભાષણ આપ્યું હતું, જેના પર ભારતના વિદેશ મંત્રાલયે વાંધો વ્યક્ત કર્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે કહ્યું- પાકિસ્તાને હંમેશા કહ્યું છે કે અઝહર તેના દેશમાં નથી. આવી સ્થિતિમાં અઝહરનું ભાષણ પાકિસ્તાનના દંભને ઉજાગર કરે છે.

અઝહર 2019ના પુલવામા આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. અમે માંગ કરીએ છીએ કે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને ન્યાય આપવામાં આવે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો જૈશના ડિજિટલ પ્લેટફોર્મ પર 3 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવ્યો હતો. જેમાં મસૂદે ભારત, પીએમ મોદી અને ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ વિરુદ્ધ ભાષણ આપ્યું હતું. સાથે જ બાબરીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે શું એવા 300 લોકો પણ નથી જે મારી બાબરી પરત લાવવા માટે લડી શકે? મસૂદ અઝહરનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *