જળ સંરક્ષણમાં ગુજરાત ત્રીજા ક્રમે, ઓડિશા પહેલા સ્થાને

પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઓડિશાને જળ સંરક્ષણની બાબતે વર્ષ 2023 માટેનો સર્વશ્રેષ્ઠ રાજ્યનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર આપવામાં આવશે. ઉત્તરપ્રદેશે જળજીવન મિશન અંતર્ગત રાજ્યના 72.78% ગામડાંઓમાં નળથી જળ પહોંચાડવા અને આશરે 15 હજાર અમૃત સરોવર વિકસિત કરવાની ઉપલબ્ધિ માટે બીજું સ્થાન મેળવ્યું છે જ્યારે, ત્રીજા સ્થાને ગુજરાત અને પુડ્ડુચેરીને સંયુક્ત રૂપે પુરસ્કાર આપવામાં આવશે.

ગુજરાતનાં બધાં 25 લાખ ઘરોમાં નળથી જ‌ળ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, જળસંરક્ષણ અને જળવ્યવસ્થાપનની દ્રષ્ટિએ દેશના 5 ઝોનમાં શ્રેષ્ઠ જિલ્લાઓમાં પૂર્વીય ઝોનમાંથી ઓડિશાના બાલાંગીર, પશ્ચિમ ઝોનમાંથી મધ્યપ્રદેશનું ઈન્દોર, ઉત્તર-પૂર્વમાંથી ત્રિપુરાનું ધલાઈ, આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ છે. જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ અને ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાની દક્ષિણ ઝોન અને ઉત્તર ઝોનમાંથી પસંદગી કરવામાં આવી છે. 22 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દિલ્હીમાં પુરસ્કારો આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *