દહેજમાં કાંઈ લાવી નથી, કોઈ કામ આવડતું નથી કહી પરિણીતાને ત્રાસ

રાજકોટમાં પરિણીતાને ત્રાસ આપવાની વધુ એક ઘટના સામે આવી છે. બનાવ અંગે 27 વર્ષીય પ્રીતિબેન પરમારે પતિ રાજેશભાઇ, સસરા અરજણભાઇ ઉર્ફે કાલુભાઇ, સાસુ જયાબેન, 5 નણંદ ચેતલબેન, વર્ષાબેન, પુરીબેન જયશ્રી બેન, ભારતીબેન અને 2 નણદોયા કિશનભાઈ પાટડીયા તેમજ સંજયભાઈ રજવાડીયા સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તમામ આરોપીઓ દ્વારા ગત તારીખ 28-11-2023થી સતત ત્રાસ આપતા હોવાનું જણાવ્યું છે. તમામ આરોપીઓએ પોતાને કોઇ ધરકામ આવડતુ નથી. તેમજ દહેજમાં કાંઇ લાવેલ નથી તેમ કહી મહેણા-ટોણા મારતા હતા. તેમજ મારકુટ કરી ગાળો આપી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા. આ કામમાં તમામ આરોપીઓએ એકસંપ કરી એકબીજાની મદદગારી કરી હતી. જેનાથી કંટાળીને અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું પરિણીતાએ જણાવ્યું હતું. આ ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *