રાજકોટ નાગરિક બેન્ક બચાવો સંઘ મેદાને

70 વર્ષ જૂની રાજકોટ નાગરિક બેન્કમાં ગ્રાહકો, થાપણદારો, સભાસદો અને લોન લેનારા સહિત 10 લાખ લોકો સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે ત્યારે છેલ્લા દોઢ વર્ષથી આ બેન્ક કૌભાંડો, અણઘડ ગેરવહીવટને કારણે વિવાદમાં આવી રહી છે ત્યારે હવે RSS સાથે જોડાયેલા લોકો દ્વારા નાગરિક બેન્ક બચાવો સંઘ અસ્તિત્વમાં આવ્યું છે. જેમના દ્વારા જણાવાયું છે કે, નાના માણસોની મોટી બેન્ક ગણાતી રાજકોટ નાગરિક બેન્ક દ્વારા મહારાષ્ટ્રની કાલબાદેવી શાખામાં 25 લોન આપવામાં બેન્ક સાથે છેતરપીંડી કરવામાં આવી છે. બેન્ક બચાવો સંઘ દ્વારા આ 5 કરોડના કોંભાડ અંગેના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. જો નાગરિક બેન્ક સતાધીશો આ બાબતે જવાબદારો સામે કાયદેસર પગલા ન ભરે તો દસ્તાવેજી પુરાવા સાથે વિગતવાર પર્દાફાશ કરવામાં આવશે અને જરૂર પડયે બેન્ક બચાવો સંઘ દ્વારા જ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. આ સાથે જ જૂનાગઢમાં 1 જ કુટુંબે 35થી વધુ લોન લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *