રાજકોટનું સ્માર્ટ સિટી 1મેનાં રોજ ખુલ્લું મુકાયા બાદ લગ્ન સહિતનાં પ્રસંગો માટે ભાડે અપાશે

રાજકોટનાં સ્માર્ટ સિટી અને અટલ સરોવરનું લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. તેમાં કેટલીક કામગીરી બાકી હોવાથી લોકો માટે આગામી 1મેનાં રોજ ખુલ્લું મૂકવામાં આવશે. રૈયાગામ પાસે બનેલા આ અટલ સરોવર અને સ્માર્ટ સિટીનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં અટલ સરોવરની બાજુમાં પાર્ટીપ્લોટ બનાવવામાં આવ્યો છે. આગામી 1મે બાદ આ પાર્ટીપ્લોટ લોકોને લગ્ન સહિત વિવિધ પ્રસંગો માટે ભાડેથી આપવામાં આવશે. આ ઉપરાંત સ્માર્ટ સિટીમાં ફેરવ્હીલ ગાર્ડન, ફાઉન્ટેન શો સહિતના નવા નજરાણાનો લાભ રાજકોટવાસીઓને મળી રહેશે. આગામી સમયમાં બેબી ટ્રેન સહિતના અનેક જુદા-જુદા આકર્ષણોનો વધારો પણ અહીં કરવામાં આવશે.

રાજકોટ મ્યુ. કમિશ્નર આનંદ પટેલનાં જણાવ્યા મુજબ આગામી તા. 1મેથી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ અટલ સરોવર અને સ્માર્ટ સિટી એટલે કે રેસકોર્ષ-2 લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. હાલ અહીં તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થઈ છે. શહેરીજનો સ્માર્ટ સિટીની રૂ. 20 પ્રવેશ ફી આપી અંદરના તમામ નવા નજરાણા નિહાળી શકશે તેમજ અલગ-અલગ ફી આપીને તેનો લાભ લઈ શકશે. હાલ ખાસ પ્રકારનો ગાર્ડન તેમજ ફેરીવ્હીલ અને ફાઉન્ટેન શો શરૂ કરવામાં આવશે તેમજ આ અટલ સરોવરની બાજુમાં પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે. જેનું બુકીંગ કરી લોકો પોતાના પ્રસંગોમાં ઉપયોગમાં લઈ શકશે. ટૂંક સમયમાં પાર્ટી પ્લોટની ફી અને અલગ-અલગ રાઈન્ડસની ફી નકકી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *