મહારાષ્ટ્રના નાશિકમાં 8નાં મોત, 8 ઘાયલ

મહારાષ્ટ્રના નાશિકમાં રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે એક પીકઅપ વાહન લોખંડના સળિયાથી ભરેલા આઇશર વાહન સાથે અથડાયું હતું. આ ઘટનામાં પીકઅપમાં મુસાફરી કરી રહેલા 8 લોકોનાં મોત થયા. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકની હાલત નાજુક છે. તેમને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત નાસિક-મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે પર થયો હતો. પીકઅપમાં 16 લોકો સવાર હતા. આ તમામ નિફાડમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપીને સિડકો પરત ફરી રહ્યા હતા.

પોલીસે જણાવ્યું કે જ્યારે વાહન અયપ્પા મંદિર પાસે પહોંચ્યું ત્યારે પીકઅપ ચાલકે કાબૂ ગુમાવી દીધો. આ પછી પાછળથી લોખંડના સળિયાથી ભરેલા આઇશરમાં ઘુસી ગઈ.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકો અને પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. કેટલાકની હાલત નાજુક છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *