સંભલ હિંસામાં 4નાં મોત, ધો.12 સુધી શાળા-ઈન્ટરનેટ બંધ

સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ચાર યુવકોના મોત થયા. હિંસામાં સીઓ અનુજ ચૌધરી અને એસપીના પીઆરઓને પગમાં ગોળી વાગી છે. એસપી સહિત અન્ય 15 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

હિંસા બાદ સંભલ તાલુકામાં આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આવતીકાલે 25 નવેમ્બરે ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રહેશે. 1લી ડિસેમ્બર સુધી કોઈ બહારની વ્યક્તિ જિલ્લામાં આવી શકશે નહીં. જિલ્લાની સરહદ સીલ કરી દેવામાં આવી છે. સમગ્ર શહેરમાં અઘોષિત કર્ફ્યુનો માહોલ છે. જામા મસ્જિદ તરફ જતા ત્રણેય માર્ગો પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.

અહીં, મૃતકના પરિજનો દાવો કરે છે કે પોલીસ ગોળીબારના કારણે તેમનું મૃત્યુ થયું છે. જોકે, કમિશનરે કહ્યું હતું કે, ‘પોલીસ ફાયરિંગમાં કોઈ મોત થયું નથી. હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં યુવકોએ જીવ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *