તમિલનાડુમાં લઠ્ઠા કાંડથી 25 લોકોના મોત

તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી 25 લોકોના મોત થયા છે. 60થી વધુ વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે એક વ્યક્તિ કે કન્નુકુટ્ટી (49)ની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી આશરે 200 લીટર ઝેરી દારૂ મળી આવ્યો છે. તેમાં મિથેનોલ ભેળવવામાં આવેલું હતું.

ઘટના અંગે સીએમ એમકે સ્ટાલિને x પર લખ્યું: કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાત અને દુઃખી છું. આ કેસમાં ગુનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 18 જૂને કલ્લાકુરિચી જિલ્લાના કરુણાપુરમના લોકોએ પેકેજ્ડ શરાબનું સેવન કર્યું હતું. તેમાંથી મોટા ભાગના રોજિંદા મજૂરી કરતા હતા. સાંજ પડતાં જ આ લોકોને ઝાડા, ઉલ્ટી, પેટમાં દુખાવો અને આંખોમાં બળતરા જેવી સમસ્યા થવા લાગી હતી.

20 થી વધુ લોકોને કલ્લાકુરિચી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 18 લોકોને પુડુચેરી JIPMER અને 6 લોકોને સાલેમ રિફર કરવામાં આવ્યા હતા. કલ્લાકુરિચીમાં 12 એમ્બ્યુલન્સ તૈનાત છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *