સેબી સહારા ગ્રુપ સામે કેસ ચાલુ રાખશે

સહારા ગ્રૂપના સ્થાપક સુબ્રત રોયના મૃત્યુ પછી પણ સેબી સહારા ગ્રૂપ સામે કેસ ચાલુ રાખશે. સેબીના ચેરપર્સન માધવી પુરી બૂચે એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે સેબી માટે આ કેસ એક એન્ટિટીના મેનેજમેન્ટનો છે અને તે ચાલુ રહેશે પછી ભલે કોઈ વ્યક્તિ જીવિત હોય કે ન હોય.

બિઝનેસમેન સુબ્રત રોયનું 14 નવેમ્બર 2023ના રોજ કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટને કારણે અવસાન થયું હતું. તેમને 12 નવેમ્બરથી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુબ્રત મેટાસ્ટેટિક સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત હતા.

નિયમો વિરૂદ્ધ નાણાં એકત્ર કરવાનો મામલો
સુબ્રત રોય પર આરોપ હતો કે તેઓ નિયમો વિરુદ્ધ તેમની બે કંપનીઓમાં લોકોના નાણાનું રોકાણ કરે છે. આ માટે તેમને જેલ પણ જવું પડ્યું હતું. 28 ફેબ્રુઆરી 2014ના રોજ સુપ્રીમ કોર્ટે સુબ્રત રોયને રોકાણકારોને 24,400 કરોડ રૂપિયા પરત કરવા કહ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આ કેસ ચાલી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *