સાળંગપુરમાં CMએ કષ્ટભંજન દાદાની આરતી ઉતારી

આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ગુજરાતમાં આવેલા હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં સંતો દ્વારા 250 કિલોની કેક કાપી પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો. બાદમાં બપોરે કષ્ટભંજન હનુમાન દાદાને મીઠાઈનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલ પણ સાળંગપુર મંદિરે દાદાનાં દર્શન કરવા પહોંચી કષ્ટભંજન દાદાની આરતી ઉતારી હતી. ત્યારે ગાંધીનગરના ગાંધીનગર સ્થિત ડભોડામાં આવેલા સુપ્રસિધ્ધ શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજયંતિ મહોત્સવની રંગરાગ ઉજવણી કરવામાં હતી. જેમાં શોભાયાત્રામાં ડ્રોન મારફતે હનુમાન દાદાનાં દર્શને ભાવિકોમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું. ગોંડલમાં હનુમાન જંયતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઉપસ્થિત રહી તરકોશી હનુમાન મંદિર ખાતે મહાઆરતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *