શું તમે તમારા પાર્ટનરને રાત્રે સુતી વખતે બબડવાની આદત છે? શું તમારી ઊંઘ પણ પાર્ટનરની ઊંઘમાં વાત કરવાની આદતથી તૂટી જાય છે, જો જવાબ હા છે તો જાણી લો આ છે સૂતી વખતે સપના જોતી વખતે વાત કરવી સામાન્ય નહીં પણ પરંતુ એક પ્રકારનો પૈરા સોમનિયા છે. જેનો અર્થ છે કે સૂતી વખતે અસ્વભાવિક વ્યવહાર કરવો. જો કે ડોક્ટર આ સમસ્યાને બીમારી માનતા નથી, તેઓ તેને સામાન્ય જ ગણે છે. જે લોકો ઊંઘમાં વાત કરે છે. તેઓને તે વાતની જાણ જ નથી હોતી. તેઓને બીજા દિવસે આ વાત યાદ જ નથી રહેતી. ઊંઘમાં બબડનારા વ્યક્તિ એક સમયમાં 30 સેકેન્ડથી વધારે બોલતા નથી અને થોડી વાર બોલ્યા પછી ચૂપ થઇ જાય છે. તેવામાં જાણીએ કે આખરે કેમ ઊંઘતી વખતે વ્યક્તિ બબડે છે, સાથે જાણો ઉપાય?
કયા લોકોને હોય છે ઊંઘમાં બબડવાની આદત?
એક રિસર્ચ મુજબ, લગભગ 3 વર્ષથી 10 વર્ષની વચ્ચેના બાળકો ઊંઘમાં પોતાની વાત પૂરી કરે છે. ત્યાં જ 5 ટકા જેટલા મોટા લોકો પણ પોતાની વાતને ઊંઘમાં પૂરી કરે છે. એટલુ જ નહીં શોધમાં જાણવા મળ્યું છે કે છોકરાઓ કરતાં છોકરીઓ ઊંઘમાં વધારે બબડે છે.
ઊંઘમાં વાત કરવાનું કારણ
તણાવ, ડિપ્રેશન, ઊંઘની ઉણપ, થાક, દારુ કે દવાના કારણે, તાવના કારણે પણ વ્યક્તિ ઊંઘમાં બબડી શકે છે. તે ઉપરાંત કોઇ વ્યક્તિના પરિવારમાં કોઇ ઊંઘમાં બોલવાની આદત હોય તો આ કારણ છે સ્લિપ ડિસઓર્ડરની સમસ્યા થઇ શકે છે.
ઊંઘમાં બબડવાની સમસ્યાનો ઉપચારઃ
તણાવઃ ઊંઘમાં બબડવાની પાછળ સૌથી મોટુ કારણ તણાવ બની શકે છે. જો કોઇ વાતને લઇ સતત તમે ચિંતામાં રહેતા હોય તો આ સમસ્યા થઇ શકે છે. તેનાથી બચવા માટે તમારા મગજને આરામ આપો. જો તમે બહુ વધારે વ્યસ્ત રહેતા હોય તો પોતાના માટે થોડો સમય કાઢો અને ફરવા જાઓ.
આરઇએમ સ્લીપ બિહેવિયર ડિસઓર્ડરઃ
સુતી વખતે બુમો પાડવી કે હાથ પગ ચલાવવાની આદત ડિમેંશિયા અથવા પાર્કિસન જેવી બીમારીઓના લક્ષણ પણ હોઇ શકે છે. આ બીમારીને આરઇએમ સ્લીપ બિહેવિયર ડિસઓર્ડર કહેવામાં આવે છે. આરઇએમ ઊંઘનુ તે સ્ટેજ છે જ્યાં ઊંઘ દરમિયાન કે સપનામાં જે કંઇ પણ થઇ રહ્યું છે તેને સમજી શકે છે. આરઇએમ ઉપરાંત, દવાનું રિએક્શન, તણાવ, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાના કારણ પણ લોકો ઊંઘમાં બબડવા લાગે છે.
સમય પર સુવોઃ
સમય પર સુવા અને જાગવાથી ઊંઘમાં બબડાટની આદતથી છુટકારો મળી શકે છે. આમ કરવાથી તમારી ઊંઘ પૂરી થાય છે. ધ્યાન રાખો કે ઊંઘમાં બબડવાથી ઊંઘ પૂરી ના થવાની સમસ્યા રહે છે.
એક્સરસાઇઝ
ઘણી વખત શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઠીક ના હોવાના કારણે ઊંઘમાં વ્યક્તિ બડબડાટ કરવા લાગે છે. તેવામાં આ સમસ્યાથી રાહત મેળવવા અને બ્લડ સર્ક્યુલેશનને નિયમિત રાખવા માટે યોગ અને એક્સરસાઇઝ કરો.
સાઇકોથેરાપિસ્ટની મદદ લો
જો આ ઉપાયો અજમાવ્યા બાદ પણ તમારી સમસ્યા યથાવત છે તો કોઇ સારા સાઇકોથેરાપિસ્ટને મળીને તેમની સલાહ જરુરથી લો.