ગુજરાત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તા.14 સપ્ટેમ્બરે રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓ સાંજે 4.30 કલાકે અટલબિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે દીક્ષાગ્રહણ સમારોહ અને જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવનારા પૂર્વ છાત્રોના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ કાર્યક્રમ પૂર્ણ થયે વિસનગર જવા રવાના થશે.