રાજકોટ શહેર પોલીસ તંત્રે બે દિવસ પહેલાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટની કામગીરી બાબતે આત્મશ્લાઘા કરતી કરેલી જાહેરાતનો ફણગો એડવોકેટ વિકાસ શેઠે સોમવારે ફોડી નાખ્યો હતો અને પોલીસ કમિશનર તથા ડીસીપી(ટ્રાફિક)ને સીપીસી કલમ-80 મુજબની નોટિસ પાઠવી છે અને છેલ્લા એક વર્ષમાં જાહેર રસ્તા પર બેફામ જતા વાહનોએ નાના બાળકોથી માંડીને અનેક રાહદારીઓના જીવ લીધાનો ઉલ્લેખ કરી પ્રજાને કનડતા આ પ્રશ્નનો નિકાલ ન આવે તો સીપીસી ઓર્ડર 1 રૂલ 8 મુજબગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરી દાદ માગવામાં આવશે તેવી ચીમકીઉચ્ચારી છે.
આજ દિવસ સુધી ફિઝિકલ ચલણ બુક અને ઇ-મેમોની રકમ કેટલી ભેગી થઇ અને ક્યાં ખાતામાં જમા કરાવાય તેનો હિસાબ પ્રજાને આપવામાં આવેલ નથી.