વિરનગર-ખડવાવડી માર્ગના રિસરફેસીંગનું ખાતમુહૂર્ત થયું

જસદણ તાલુકાના વિરનગર ખાતે વિરનગર-ખડવાવડી માર્ગના રિસરફેસીંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ માર્ગના નવનિર્માણ પાછળ અંદાજિત રૂ. ૩ કરોડનો ખર્ચ થશે.

આ માર્ગ સુધારણા કાર્યનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સુવિધાયુક્ત, સલામત અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડવાનો છે. રિસરફેસીંગ કાર્ય પૂર્ણ થયા બાદ વિરનગર અને આસપાસના વિસ્તારોના સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને મુસાફરોને વધુ સુવ્યવસ્થિત અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે.

સરકાર દ્વારા જનસુખાકારીને પ્રાથમિકતા આપીને વિકાસના કાર્યો સતત આગળ વધારવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત માર્ગ અને માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. આ વિકાસકાર્યથી વિસ્તારની આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે તેવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *