ઈન્ડિયન ક્રિકેટ ટીમ બુધવારે આ વર્ષની પહેલી T20 મેચ રમશે. નાગપુરના વિદર્ભ ક્રિકેટ મેદાન પર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે.
5 મેચની T20 સિરીઝ ભારતની વર્લ્ડ કપ તૈયારીઓ માટે ફાઈનલ ટેસ્ટ પણ સાબિત થશે, કારણ કે ટીમ ઈન્ડિયાએ 7 ફેબ્રુઆરીથી પોતાના ઘરે T20 વર્લ્ડ કપ રમવાનો છે. આમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતાનું ફોર્મ શોધવાનો પ્રયત્ન કરશે.
તે સાઉથ આફ્રિકા સામે આઉટ ઑફ ફોર્મ દેખાયો હતો. આ સિરીઝથી જસપ્રીત બુમરાહ પણ પરત ફરી રહ્યો છે
ભારતીય ટીમ હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ન્યૂઝીલેન્ડ કરતા આગળ છે. ટીમે 48% મેચ જીતી છે, જ્યારે 40% મેચ ગુમાવી છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 25 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાંથી 12 મેચ ભારતીય ટીમના પક્ષમાં રહી છે, જ્યારે 10% મેચ કિવીઝે જીતી છે. 3 મેચ ટાઈ રહી છે. હોમ વેન્યૂઝ પર ભારતીય ટીમની જીતની ટકાવારી વધારે છે. ટીમે ઘરઆંગણેના મેદાન પર 63% મેચ જીતી છે. ટીમે 11 માંથી 7 મેચમાં જીત નોંધાવી છે, જ્યારે 4માં તેને હાર વેઠવી પડી છે.