વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુર અને કૃષ્ણનગરમાં સભા યોજી હતી. મોદીએ તેમના ભાષણની શરૂઆત જય મા દુર્ગા, જય મા કાલી અને હર હર મહાદેવના નારા સાથે કરી હતી.
39 મિનિટના ભાષણમાં મોદીએ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર, સંદેશખાલી, રામમંદિર, રામનવમી, વોટ-જેહાદ, કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવા બાબતે વાત કરી હતી.
તેમણે કહ્યું- TMCના એક ધારાસભ્ય કહે છે કે હિન્દુઓને ભાગીરથીમાં ફેંકી દેવાશે. તેઓ કઈ ભાષા બોલે છે? બંગાળ સરકારે અહીંના હિન્દુઓને બીજા વર્ગના નાગરિક બનાવ્યા છે. સંદેશખાલીમાં દલિત બહેનો પર અત્યાચાર થઈ રહ્યો છે અને અહીંની સરકાર આરોપીઓને બચાવવામાં વ્યસ્ત છે. એ પણ માત્ર એટલા માટે કે તેનું નામ શાહજહાં શેખ છે.
PM મોદીએ આગળ કહ્યું, બે તબક્કાનાં મતદાન બાદ વિપક્ષ મોદી વિરુદ્ધ વોટ-જેહાદ કરી રહ્યો છે. દેશના લોકો જેહાદનો અર્થ સારી રીતે સમજે છે.