રાજકોટ લોકમેળાનું શ્રેષ્ઠ નામ આપનારને ઈનામ

રાજકોટમાં TRP ગેમ ઝોન દુર્ઘટના બાદ સાતમ આઠમના મેળામાં ખાસ તકેદારી રાખવામાં આવશે. 30 ટકા સ્ટોલ અને રાઈડઝ ઘટાડવામાં આવી છે. જેથી પૂરતી સ્પેસ મળે. એમ્બ્યુલન્સની પણ યોગ્ય સ્પેસ રાખવામાં આવી છે. ડ્રોનથી જનમેદની ઉપર નજર રાખવામાં આવશે. દરેક સ્ટોલ પર અગ્નિશામક સાધનો ફરજિયાત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. CCTVની સંખ્યા વધારવામાં આવશે. જેથી જનમેદની વધે ત્યારે થ્રી લેયર સિક્યુરિટી રાખી પબ્લિકની એન્ટ્રી બંધ કરી શકીએ. રાજકોટ લોકમેળાનું નામ શું રાખવું તે માટે અખબારમાં જાહેરાત આપી નામ મંગાવવામાં આવશે. બાદમાં શ્રેષ્ઠ નામ આપનારને વિજેતા જાહેર કરી રોકડ ઈનામ આપવામાં આવશે.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સાતમ આઠમના તહેવાર અંતર્ગત રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાઈ છે. ત્યારે ચાલુ વર્ષે પણ સાતમ આઠમનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જ યોજવાનો છે. પરંતુ ચાલુ વર્ષે મેળામાં સ્ટોલ અને રાઇડ્સના પ્લોટમાં 30% નો ઘટાડો કરવામાં આવશે. આ પ્રકારનું નિવેદન રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *