રાજકોટ મનપાની ફુડ શાખાએ કે.જી.એન. ચીકનમાંથી 6 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ ઉપર ભિમનગર મેઇન રોડ પર આવેલ કે.જી.એન. ચીકન પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ પ્રિપેર્ડ નોન-વેજ ફૂડનો કુલ 6 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ સાથે જ મનપાયે ઉનાળાને બદલે ચોમાસામાં આઈસ્ક્રીમના નમુના લેતા આશ્ચર્ય જનમ્યું છે.

22 ધંધાર્થિઓને ત્યાં ફૂડ વિભાગનું ચેકિંગ આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના કોઠારીયા રણુજા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામા આવી હતી.

10 વેપારીઓને લાયસન્સ મેળવવા બાબતે સૂચના ક્રિષ્ના ડેરી ફાર્મ, ભરકાદેવી પાણી પૂરી, ગણેશ પ્રોવિઝન સ્ટોર, જયેશ પ્રોવિઝન સ્ટોર, મહાકાળી પાણીપુરી, સાંઇ ખીરું, વિશાલ પાણીપૂરી, શ્રીજી એજન્સી, શંકરભાઈ પાણીપૂરી અને બાલાજી નાસ્તા હાઉસને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *