રાજકોટમાં હાર્વર્ડથી ધર્મનો અભ્યાસ કરનાર કથાકાર દિપાલી દીદીની કૃષ્ણ કથા

રાજકોટની જાણીતી કથાકાર દિપાલી દીદી તેમની ભૂતપૂર્વ શાળાના વિકાસ માટે શ્રી કૃષ્ણ કથા યોજી રહ્યા છે. તેઓ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ હેમુ ગઢવી હોલમાં રાત્રે 9થી 12 વાગ્યા સુધી શ્રી કૃષ્ણ કથા કરવાના છે, જે જાહેર જનતા માટે ઓપન રહેશે. દેશમાં સંભવત: તે પહેલા એવા કથાકાર હશે કે, જેને પોતે જે શાળામાં ભણ્યા હોય, તે જ સ્કૂલના લાભાર્થે કથા કરવાનો મોકો મળ્યો હોય. શાળાને યોગ્ય ફંડ મળી રહે તે માટે દીદીએ કથા સાંભળવા આવનાર દરેક વ્યક્તિને યથાશક્તિ દાન આપે એવી નમ્રતાપૂર્વક અપીલ કરી છે.

શાળાના રિપેરિંગ માટે અંદાજે રૂ. 40 લાખની જરૂર ઉદયાચલ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભાનુપ્રસાદ પંડ્યાએ જણાવ્યું હતું કે, કે. જે. કોટેચા ગર્લ્સ સ્કૂલ 65 વર્ષ જૂની છે, અહીં 725 દીકરીઓ ધોરણ-9થી 12 સુધીના વર્ગમાં અભ્યાસ કરે છે, જેમાં અમુક દીકરીઓ ઝૂંપડપટ્ટી વિસ્તારની પણ છે ત્યારે આ પ્રકારની દીકરીઓ પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે અને આર્થિક રીતે પગભર થાય તે માટે અહીં વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે તદુપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવામાં આવે છે. આ તમામ પ્રકારનું શિક્ષણ શિક્ષકો દ્વારા વિના મૂલ્યે પૂરુ પાડવામાં આવે છે, જેથી તેઓ પગભર બની શકે. જોકે, આ શાળામાં કોમ્પ્યુટર લેબ, બ્યુટી પાર્લરની તાલીમ માટેની પ્રોફેશનલ ચીજવસ્તુઓ, 4 ઓરડાની છત ભરવાની કામગીરી તથા બાલ્કનીનો જર્જરિત ભાગ રિપેરિંગ માટે અંદાજે રૂ. 40 લાખની જરૂર પડી છે ત્યારે આ ખર્ચને પહોંચી વળવા માટે અહીંના જ જૂના એક વિદ્યાર્થિની કે જે હાલ સારા એવા કથાકાર છે, તેઓએ શાળા માટે કથા કરીને પોતાનું યોગદાન આપવાનો પ્રયત્ન કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *