રાજકોટમાં નશો કરવાના મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં યુવકનો આપઘાત

ગોંડલ રોડ પરના આંબેડકરનગરમાં રહેતા નનકા શિરડીભાઇ સરોજે (ઉ.વ.35) ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશનો વતની નનકા સરોજે કારખાનામાં મજૂરીકામ કરતો હતો અને તેને નશો કરવાની કુટેવ હતી. નશો કરવા બાબતે પત્ની સાથે ઝઘડો થતાં તે બાબતનું માઠું લાગી આવતા તેણે પગલું ભરી લીધું હતું. યુવકના આપઘાતથી તેના ચાર સંતાનોએ પિતાની હૂંફ ગુમાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *