રાજકોટનાં ઐતિહાસિક જામટાવરનાં પરિસરની સફાઈ કરવામાં આવી

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનને વિવિધ કાર્યક્રમો સાથે આગળ ધપાવવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ જન ભાગીદારી વ્યાપક બનાવવા વિવિધ થીમ આધારિત કાર્યક્રમો થકી સ્વચ્છતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વિવિધ ધાર્મિક અને આઈકોનીક સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે કલેકટર કચેરી સામે આવેલ ઐતિહાસિક જામટાવરના પરિસરની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ તકે પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમાર અને નાયબ મામલતદારો જોડાયા હતા અને પરિસરની સાફ સફાઈ કરી ટાવરને નડતરરૂપ વૃક્ષની ડાળીઓ કટ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *