રતન ટાટાએ પ્રાણીઓની સંભાળ રાખવા અપીલ કરી

ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટાએ મંગળવારે (4 જુલાઈ) પ્રાણીઓની સુરક્ષા માટે અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કરીને નિરાધાર પ્રાણીઓને આશ્રય આપવાની વાત કરી છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘ચોમાસાની સિઝન આવી ગઈ છે. ઘણા રખડતા શ્વાન અને બિલાડીઓ આપણી કાર નીચે આશ્રય લે છે. આવી સ્થિતિમાં, તમારી કારને સ્ટાર્ટ કરતા પહેલા તેની નીચે તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી વરસાદથી આશ્રય લેનારા પ્રાણીઓને ઇજા થવાથી બચાવી શકાય.

જો આપણે આપણા વાહનોની નીચે તેમની હાજરી વિશે અજાણ હોઈએ તો તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે. તેઓ વિકલાંગ બની શકે છે અથવા તેઓ મરી શકે છે. જો આપણે બધા વરસાદ પડે ત્યારે તેમને કામચલાઉ આશ્રય આપી શકીએ તો તે હૃદયસ્પર્શી હશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *