યુવક ટ્રેનની અડફેટે આવી ગયો

ગઇકાલે રાત્રે 10.30 વાગ્યાના આસપાસ રીધ્ધી સીધ્ધીના નાલાના બ્રિજ નીચેથી 25 વર્ષીય અજાણ્યા યુવાને ટ્રેન હડફેટે આવી જતા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જે અંગે રેલ્વે પોલીસને જાણ થતા સ્ટાફ દોડી ગયો હતો અને 108ને જાણ કરતા 108 ટીમે દોડી આવી ઈજાગ્રસ્ત યુવાનને મૃત જાહેર કર્યો હતો. રેલ્વે પોલીસે બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકની ઓળખ મેળવતા યુવાન શાપરમાં રહેતો અમીતકુમાર જવાલાસિંહ ગોદારા (ઉ.વ.19) હોવાનું સામે આવ્યું તું. મૃતક મૂળ રાજસ્થાની અને હાલ અટીકા ફાટક નજીક આવેલ ટ્રાન્સપોર્ટમાં મજુરીકામ કરતો હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *