મારે રેસલિંગ ફેડરેશન સાથે કોઈ લેવાદેવા નથી : બ્રિજભૂષણ

રેસલિંગ ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહે ફેડરેશનને સસ્પેન્ડ કરવા સામે વાંધો લીધો છે. તેમણે રવિવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ગોંડામાં ફરીથી નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી રમતનો માહોલ ફરી બની શકે. ફેડરેશન પર પ્રતિબંધ મૂકવાને બદલે સરકારે ચેમ્પિયનશિપને પોતાની દેખરેખ હેઠળ રાખવી જોઈએ જેથી ખેલાડીઓને નુકસાન ન થાય. ભલે દિલ્હીમાં કરે.

ખેલ અને યુવા મંત્રાલયે 21 ડિસેમ્બરે રચાયેલ નવા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરી દીધું છે. આ નિર્ણય બાદ બ્રિજભૂષણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. બેઠક બાદ તેમણે નવી દિલ્હીમાં જ મીડિયા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

મારે નવા ફેડરેશન સાથે કોઈ લેવાદેવા નથી
બ્રિજભૂષણે કહ્યું, ‘મેં કુસ્તી સંઘમાંથી સંન્યાસ લઈ લીધો છે. હવે સરકારના નિર્ણય પર જે પણ ચર્ચા કરવાની હોય તે નવું ફેડરેશન કરશે. મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. હું સાંસદ છું અને મારા કામ પર ધ્યાન આપીશ. હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે તેની તૈયારી પણ કરવાની છે.

ખેલાડીઓના હિતને ધ્યાનમાં રાખીને હું સરકારને વિનંતી કરું છું કે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવે જેથી કુસ્તીબાજોને કોઈ નુકસાન ન થાય.

‘દબદબા તો હૈ દબદબા તો રહેગા’ના પોસ્ટર લગાવવાના સવાલ પર બ્રિજ ભૂષણ સિંહે કહ્યું કે મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *