ભારતીય ઓપનર અભિષેક શર્મા સાથે એરપોર્ટ પર ગેરવર્તણૂક

ટીમ ઈન્ડિયાના ઓપનર અભિષેક શર્મા સાથે દિલ્હી એરપોર્ટ પર ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. અભિષેકે ખુદ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આ જાણકારી આપી છે. તેણે જણાવ્યું કે ઈન્ડિગો સ્ટાફના ખરાબ વર્તનને કારણે તે પોતાની ફ્લાઈટ ચૂકી ગયો. તે રજાઓ ઉજવવા જઈ રહ્યો હતો. જો કે આ મામલે ઈન્ડિગો તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

વિજય હજારે ટ્રોફીમાં અભિષેક પંજાબનો કેપ્ટન હતો. બે દિવસ પહેલા 11 જાન્યુઆરીએ તેની ટીમને ક્વાર્ટર ફાઈનલ મેચમાં મહારાષ્ટ્રના હાથે 70 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

ગયા વર્ષે, અભિષેક શર્માની પૂર્વ ગર્લફ્રેન્ડ તાનિયા સિંહે 19 ફેબ્રુઆરી 2024ના રોજ સુરતમાં તેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોલીસે અભિષેક શર્માની પૂછપરછ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *