ભારતમાં યુકેની કાર-વ્હિસ્કી સસ્તાં થશે

ભારતમાં યુકેની કાર, કપડાં અને ફૂટવેર સસ્તાં થશે. આજે 24 જુલાઈના રોજ ભારત અને યુકેએ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. 2022થી વાટાઘાટો ચાલી રહી હતી. હવે ભારતનો 99% માલ યુકેમાં શૂન્ય ટેરિફ પર નિકાસ કરવામાં આવશે, જ્યારે યુકેનો 99% માલ 3% સરેરાશ ટેરિફ પર આયાત કરવામાં આવશે. આને કારણે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો થઈને 120 અબજ ડોલર થવાની ધારણા છે.

વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને બ્રિટિશ વેપારમંત્રી જોનાથન રેનોલ્ડ્સે પીએમ નરેન્દ્ર મોદી અને તેમના યુકે સમકક્ષ કીર સ્ટારમરની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કર્યા. આનાથી યુકેને પણ ફાયદો થશે. ભારત દ્વારા આયાતી વ્હિસ્કી પરનો ટેરિફ 150%થી ઘટાડીને 75% કરવામાં આવશે. કરારના દસમા વર્ષ સુધીમાં આ ટેરિફ પાછળથી 40% કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *