બ્રિજભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ધરણાં ચાલુ જ રહેશે

જંતરમંતર ખાતે ધરણાં પર બેઠેલા પહેલવાનોને મળવા રવિવારે મોડી રાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના મહાનિદેશક સંદીપ પ્રધાન ત્યાં પહોંચ્યા હતા. તેમણે ખેલાડીઓ સાથે 4 કલાક સુધી વાતચીત કરીને ધરણાં બંધ કરવાની અપીલ કરી હતી. પહેલવાનોને ઉકેલ વિશે પૂછતાં પહેલવાન સંઘર્ષ સમિતિની ટીમે સ્પષ્ટપણે કહ્યું હતું કે હવે લેખિત આશ્વાસન મળશે તોપણ સ્વીકાર્ય નથી. કાર્યવાહી પછી જ ધરણાં બંધ કરાશે.

સાઇના અધિકારીઓ બીજી વાર પહેલવાનોને મળ્યા હતા. બીજી તરફ સમિતિના સભ્યોએ સંઘર્ષને વેગવંતો બનાવવા માટે તમામ પહેલવાનો અને કોચને જોડવાની કવાયત શરૂ કરી દીધી છે. પહેલવાનોએ સાઇ નિર્દેશકની વાતચીતમાં બે મુખ્ય માંગ રજૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *