બારડોલીથી સોમનાથ સુધી 1800 કિમીની સરદાર સન્માન યાત્રા

આગામી સરદાર સન્માન યાત્રાના ભવ્ય સ્વાગત અને આયોજનના ભાગરૂપે ગોંડલ શહેરમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બારડોલીની કર્મભૂમિથી સોમનાથની ધર્મભૂમિ સુધી આયોજિત આ યાત્રાના સુચારુ આયોજન માટે ગુંદાળા રોડ પર આવેલા દેવંગી આશ્રમ ખાતે જી.પી. વસ્તરપરા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ચમારડીના વડપણ હેઠળ શહેરના સામાજિક આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ યાત્રા આગામી 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. કુલ 1800 કિલોમીટરનું અંતર કાપીને આ યાત્રા રાજ્યના 18 જિલ્લા, 65 તાલુકા અને 355 ગામડામાંથી પસાર થશે. ગોંડલ શહેર માટે મહત્વપૂર્ણ છે કે આ યાત્રા 18 સપ્ટેમ્બરના રોજ ગોંડલ ખાતે આવી પહોંચશે.

ગોંડલમાં આ યાત્રાનું પ્રસ્થાન આશાપુરા ચોકડીથી થશે અને શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરશે. આ દરમિયાન, શહેરમાં સ્થિત તમામ મહાપુરુષોની પ્રતિમાઓને ફુલહાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *