બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નાઈમાં 19 સપ્ટેમ્બરથી રમાનારી મેચ માટે 16 પ્લેયરની ટીમ પસંદ કરવામાં આવી હતી. સરફરાઝ ખાન અને વિકેટકીપર ધ્રુવ જુરેલનો મિડલ ઓર્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
લેફ્ટ આર્મ પેસર યશ દયાલને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં તક મળી. વિરાટ કોહલી, કેએલ રાહુલ અને વિકેટકીપર રિષભ પંત પણ બાંગ્લાદેશ સામેની સિરીઝમાંથી ટેસ્ટ ટીમમાં વાપસી કરશે. આ ત્રણેય ઈંગ્લેન્ડ સામેની છેલ્લી સિરીઝનો ભાગ ન હતા.
મિડલ ઓર્ડર બેટર સરફરાઝ ખાન, વિકેટકીપર ધ્રુવ જુરેલ, ફાસ્ટ બોલર આકાશ દીપ અને યશ દયાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દયાલ સિવાય ત્રણેય ખેલાડીઓએ આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. દયાલે દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં 4 વિકેટ લીધી હતી.